શાપર-વેરાવળના પારડીમાં સોનલબેન પરમારનું શંકાસ્પદ મોતઃ હત્યાનો આક્ષેપ
પતિ કહે છે, ઉપલેટાથી ઘરે આવ્યા બાદ સવારે સોનલ ઉઠીજ નહીઃ માથામાં ઇજાના નિશાનો હોવાથી માતા અને ભાઇનો આક્ષેપઃ ફોરેન્સી કરાવાયું
રાજકોટ તા. ૩ : શાપર-વેરાવળના પારડી ગામમાં રહેતી મહિલા પોતાના ઘરે સવારે ન ઉઠતા તેનું શંકાસ્પદ મોત નિપજતા પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરતા મહિલાના મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે.
મળતી વિગત મુજબ પારડી ગામમાં રહેતી સોનલબેન અનીલભાઇ પરમાર (ઉ.૩ર) પોતાના ઘરે સુતી હતી ત્યારે તેનો પતિ અનીલ તેને ઉઠાડવા જતા ન ઉઠતા તેને સારવાર માટે કોટડાસાંગાણી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તપાસનીષ તબીબોએ મહિલાનું મોત નિપજયું હોવાનું જાહેર કરતા મહિલાના પતિ અનીલે સગાસ-સંબંધીઓને જાણ કરી હતી.જાણ થતા મહિલાના માતા અનેભાઇ સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા બાદ તેનું અંતિમ સંસ્કાર કરવા માટેની તૈયારી કરતા હતા ત્યારે સોનલબેનના માતા અને ભાઇએ સોનલબેનના માથા તથા મોઢાના ભાગે ઇજાના નિશાનો જોતા તેણે પોલીસને જાણ કરતા શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસે તાકીદે સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહને ફોરેન્સીક પીએમ કરાવવા માટે રાજકોટ ખસેડી હતી સોનલબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પતિ અનીલ ડ્રાઇવીંગ કરે છે.
આ બનાવમાં પતિ અનીલભાઇએ જણાવ્યું હતું કે સોનલની બહેનની દીકરીનો જન્મ દિવસ હોઇ તેથી તે ઉપલેટા ગઇ હતી, ગઇકાલે ઉપલેટાથી આવવાની હોઇ તેથી પોતે તેને તેડવા માટે ગયો ત્યારે સોનલ બસમાંથી ઉતરી ત્યારે સોનલ નશો કરેલી હાલતમાં હોઇ તે લથડીયા ખાતી જોઇને પોતે તેને ટોલનાકા નજીક ગેઇટ પાસે તેને બેસાડીને સમજાવી હતી બાદ બંને ચાલીને ઘરે જતા હતા ત્યારે સોનલ બે વખત પડી જતા તેને માથા તથા મોઢે ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું જયારે સોનલબેનના માતા અને ભાઇએ સોનલબેન અને તેના પતિ વચ્ચે માથાકુટ થઇ હોઇ તેથી પતિએ મારમાર્યાનો આક્ષેપ કર્યો હતો. આથી પોલીસે મહિલાના શંકાસ્પદ મૃત્યુ પાછળનું કારણ જાણવા ફોરેન્સીક પોસ્ટમોટમ કરાવાયું છે.