મુખ્યમંત્રી રાહત નિધિમાં ઓરબીટ બેરીંગ તરફથી રૂ. ૨૫ લાખની સહાય
રાજકોટ, તા. ૩ :. વિશ્વ વ્યાપી મહામારી કોરોનાએ સમગ્ર માનવજાત સામે ઉભા કરેલા પડકારનો સામનો કરવામાં સહાય તરીકે રાજકોટની ઓરબીટ બેરીંગ્ઝ પ્રા.લિ. કંપનીએ રૂ. ૨૫ લાખ મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યા છે.
આ રકમ સમર્પિત કરતા કંપનીના ચેરમેન વિનેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, આવા પડકારોમાં સૌથી વધુ યાતના સમાજનો વંચિત વર્ગ ભોગવતો હોય છે અને તેમને મદદરૂપ થવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે સમાજના સમર્થ લોકો અને વ્યકિતઓએ આવા કાર્યમાં મદદરૂપ થવું જોઈએ તેવી સામાજિક ફરજની ભાવના સાથે મુખ્યમંત્રી રાહત નિધિમાં આ રકમ સમર્પિત કરવામા આવી છે.
તેમણે મુખ્યમંત્રીશ્રીને આ અંગે પાઠવેલા પત્રમાં સરકારના ત્વરીત પગલાઓથી સ્થિતિ હજુ બેકાબુ બની ન હોવા અંગે સરકારના પ્રયાસોની પ્રસંશા પણ કરી હતી.