રાજકોટ
News of Wednesday, 3rd March 2021

મહાશિવરાત્રીએ ગીતા મંદિરે રૂદ્રાભિષેક, શિવપૂજન, ૧૦૮ દીપમાળા આરતી

રાજકોટ,તા.૩ : અહિંના જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટના ગીતામંદિર પરિસરમાં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાવસભર વાતવરણમાં તા.૧૧ને ગુરૂવારે મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાશે. આ તકે પુષ્પશંૃ અને ઇલેકટ્રીક લાઇટ ડેકોરેશનથી શિવમંદિર દર્શનીય શોભા થશે. સવારે ૮ થી૧૨ અને સાંજે ૪:૩૦ થી ૮ સુધી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવપૂજન- રૂદ્રાભિષેક થશે. બપોરે ૧૨ કલાકે મહાઆરતી બાદ પવિત્ર, સુમધુર ભાંગની પ્રસાદીનું વિતરણ થશે. શિવજીને બિલીપત્ર, જળ, પુષ્પો તથા વિવિધ ધાન્યોનો અભિષેક થશે.

દર્શનનો સમય સવારે ૬ થી બપોરે ૧૨:૩૦ અને સાંજે ૫ થી રાત્રીના ૯ સુધીનો રહેશે. ઓમકાર આકારની ૧૦૮ દીપમાળા સાથે આરતી થશે. ભાવિકોએ દર્શન પૂજનનો લાભ લેવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

(4:34 pm IST)