News of Wednesday, 3rd March 2021
આજી ચોકડીએ બે યુવાનોનો જીવ લેનાર જર્જરીત બ્રીજનું રીપેરીંગ છેક...હવે શરૂ થયુ!
રાજકોટ : અંદાજે ૯ થી ૧૦ મહીનાં અગાઉ આજી ડેમ ચોકડી પાસે સર્વિસ રોડ પર પસાર થતાં બે યુવાનો પર બ્રીજની દિવાલ તુટી પડતાં બંન્નેનાં કરૂણ મોત નિપજયા હતાં. આ ઘટના બાદ સરકારી તંત્ર તે વખતે હરકતમાં આવ્યુ હતું. ફરીયાદો નોંધાઇ ગુન્હા નોંધાયા તપાસ થઇ પરંતુ રીપેરીંગ છેક હવે શરૂ થયુ. તસ્વીરમાં જર્જરીત બ્રીજનું સમાર કામ આજથી શરૂ થયુ તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:12 pm IST)