આયુર્વેદ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં કાલથી ૧૫ દિવસ પ્રવેશ ઉત્સવ
રાજકોટ તા. ૩ : કાલાવડ રોડ, ઇશ્વરીયા ખાતે આવેલ હંસવાહીની એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ ખાતે પ્રથમ વર્ષ બીએએમએસમાં પ્રવેશ મેળવનાર આયુર્વેદખના વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ તા. ૪ થી ૨૦ યોજવામાં આવેલ છે.
૧૫ દિવસ સવારે ૯ થી સાંજના ૪ ચાલનાર આ સેશનમાં અતિથિ વિશેષ તરીકે ડો. કમલેશ રાજગોર, પ્રવકતા પ્રદેશ બીજેપી, પૂર્વ સેનેટ મેમ્બર, ડો. કીરીટ પટેલ આયુર્વે પ્રેકટીશનર અને ડો. હસમુખ સોની બોર્ડ ઓફ આયુર્વેદીક એન્ડ યુનાની સીસ્ટમ ઓફ મેડીસીનના પ્રેસીડેન્ટ ઉપસ્થિત રહેશે. ધન્વંતરી હવન અને શપથ ગ્રહણવિધિ કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના ટ્રસ્ટી મેહુલભાઇ રૂપાણી, ઓજસભાઇ ખોખાણી, આચાર્ય ડો. લીનાબેન શુકલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મેમ્બરો જહેમત ઉઠાવી રહેલ છે. તાજતેરમાં સંસ્થા દ્વારા મેગા સર્જીકલ કેમ્પ યોજવામાં આવતા ૧૨૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.