રાજકોટ
News of Saturday, 3rd February 2018

શ્રી પરશુરમ સેના- જેતપુર દ્વારા સમુહલગ્ન- બટુકોને જનોઈ

રાજકોટઃ જેતપુર મુકામે શ્રી પરશુરામ સેના દ્વારા તાજેતરમાં સમુહલગ્ન- સમુહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ જેતપુર ખાતે યોજાયેલ. આ પ્રસંગે જેતપુરમાં સંતશ્રી જે.જે. પ્રિયંકરાયજી તેમજ શાસ્ત્રી નૈમીષભાઈ ભટ્ટ ઉપસ્થિત રહયા હતા.  આ સુમહલગ્નમાં કુલ-૧૧ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયાં હતાં. સાથે કુલ- ૭ બટુકોએ ધાર્મિક વિધી સાથે ે જનોઈ ધારણ કરી હતી. આ કાર્યક્રમાં રાજયનાં પાણી પુરવઠામંત્રી જયેશભાઈ રાદડીયા મુખ્ય મહેમાનપદે તેમજ અતિથિવિશેષ પદે સમસ્ત બ્રહમ સમાજ સૌરાષ્ટ્ર- કચ્છ પ્રવકતા જયંતભાઈ ઠાકર- સમગ્ર મિડયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષી તથા છૈલભાઈ જોષી પણ ઉપસ્થિત રહયા હતા. આયોજનને સફળ બનાવવા જેતપુર ખાતેનાં શ્રી પરશુરામ સેનાનાં અશોકભાઈઠાકર,  હિતેષભાઈ જોષી,  જીતુભાઈ પંડ્યા, પરેશભાઈ જોષી સહિત ટીમે જહેમત ઉઠાવેલ હતી.(૩૦.૫)

(4:05 pm IST)