News of Friday, 2nd December 2022
રવિવારે પ્રાણાયામ સાધના વિષે નિઃશુલ્ક માર્ગદર્શન કાર્યક્રમ
યોગ થેરાપીસ્ટ સંધ્યા દિક્ષીતના માર્ગદર્શનમાં
રાજકોટઃ લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ લાઇફ, રાજકોટ અને કૈવલ્યધામ, લોનાવાલાના સંયુકત ઉપક્રમે યોગ થેરાપીસ્ટ સંધ્યા દીક્ષિતના માર્ગદર્શન હેઠળ પ્રાણાયામ સાધના શિબિરનું આયોજન તા.૫થી ૧૦ ડિસેમ્બર સુધી સવારે ૬.૩૦ પ્રાણાયામ સાધના ઉપર નિઃશુલ્ક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન લાઇફ બિલ્ડીંગ, રેસકોર્ષ રીંગરોડ, ખાતે કરાયુ હોય જેના રજીસ્ટ્રેશન વધારે માહિતી માટે મો. ૮૫૧૧૩ ૩૧૧૩૩ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.
(4:08 pm IST)