News of Friday, 2nd December 2022
આજી વસાહત ખોડીયારનગરમાં કંચન આર્યવાલનો ફાંસો ખાઇ આપઘાત
પરિવારજનોએ પરિણીતાને લટકતી જોઇ દેકારો મચાવ્યો
રાજકોટ,તા.૨: શહેરના આજી વસાહત ખોડીયારનગરમાં રહેતી પરિણીતાએ ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ આજીવસાહત પાસે ખોડીયારનગર શેરી નં.૧૨માં રહેતી કંચન અનીલભાઇ આર્યવાલ (ઉ.વ.૨૫) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવાર જનો ઘરે આવ્યા ત્યારે પરિણીતાને લટકતી જઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળપર પહોંચી ઇ.એમ.ટી. રાજીબેને તપાસ કરતા પરિણીતાનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા થોરાળા પોલીસ મથકના એ.એસ.આઇ. જ્યેશભાઇ નિમાવતે પ્રાથમિક કાગળો કરી પરિણીતાએ કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા પી.એસ.આઇ, પી.એમ.રાઠવાએ તપાસ હાથ ધરી છે.
(4:00 pm IST)