અક્ષરનગરમાં વિનોદભાઇ ડાભીનો ગળાફાંસો ખાઇ આપઘાત
રૂમનો દરવાજો તોડીને જોતા વૃધ્ધને લટકતી હાલતમાં જોવા મળ્યા
રાજકોટ,તા. ૨ : અક્ષરનગર મેઇન રોડ પર રહેતા વૃધ્ધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ અક્ષરનગર મેઇન રોડ પર રહેતા વિનોદભાઇ વિરજીભાઇ ડાભી (ઉવ.૬૩)એ ગઇ કાલે પોતાના ઘરે રૂમ બંધ કરી છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્નીએ દરવાજો ખખડાવતા વૃધ્ધે દરવાજો ન ખોલતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ નકુચો તોડી દરવાજો ખોલતા વૃધ્ધને લટકતી હાલતમાં જોઇ તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તેનુ મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઇ તથા રાઇટર કૃષ્ણસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક વિનોદભાઇ નિવૃત જીવન ગાળતા હતા. તેની ત્રણ પુત્રી પરણીત છે. તેણે કયાં કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.