પડધરીના અગ્રણી-પત્રકાર મનમોહનભાઇ બગડાઇના સુપુત્રી ચિ.હેતલના શુભલગ્ન
રાજકોટ : પડધરીના ''અકિલા'' દૈનિકના ખબરપત્રી શ્રી મનમોહનભાઇ બગડાઇની સુપુત્રી ચિ.હેતલ અને શ્રી દિલીપભાઇ ભોજાણીના સુપુત્ર ચિ. વિશાલ સાથેનો લગ્નોત્સવ સંપન્ન થયો. સગા-સંબંધીઓ, મિત્રો અને સ્નેહીજનોએ ઉપસ્થિત રહી હર્ષભેર લગ્નોત્સવ માણ્યો હતો. આ શુભ પ્રસંગે ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ખાસ ઉપસ્થિત રહી નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા.''ઇચ્છીએ એવું અંતરના ઉમળકાને આશીર્વાદમાં મુકી, વ્હાલના દરિયાને સાથે એમાં ખુશીઓને રેલમછેલ કરી'' બગડાઇ પરિવારમાં યોજાયેલ શુભ પ્રસંગે શ્રી લલીતભાઇ કગથરા (ધારાસભ્યશ્રી પડધરી, ટંકારા),શ્રી તુષારભાઇ ભટ્ટ (અકિલા), શ્રી ગીરીરાજસિંહ જાડેજા (સદસ્યશ્રી રાજકોટ, જીલ્લા પંચાયત), અનિરૂધ્ધસિંહ જાડેજા (હડમતીયા (જં.), નવનીતભાઇ બુધ્ધદેવ (પૂર્વ સરપંચ-પડધરી), મોરબી લોહાણા સમાજના શ્રેષ્ઠી શ્રી મહેશભાઇ રાજા, પરેશભાઇ વિઠ્ઠલાણી, તેમજ ભોજાણી પરિવાર, મોસાળ પરિવાર હિન્ડોચા પરિવાર (પોરબંદર), રાજવીર પરિવારે (રાજકોટ) ખાસ ઉપસ્થિત રહી નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા. આ સમયે બગડાઇ પરિવારે વ્હાલસોયી લાડલીને વળાવી હતી.