શ્રી પરશુરામ યુવા સંસ્થાના સ્થાપક અભયભાઇ ભારદ્વાજની વિદાયથી ઘેરો શોક
તેજસ્વી, પરીશ્રમી, વિદ્વાન અભયભાઇના સેવાની સૌરભ સદા મહેકશેઃ સમીર ખીરા
રાજકોટ તા. ર :.. શ્રી પરશુરામ યુવા સંસ્થાના આધ્યસ્થાપક અભયભાઇ ભારદ્વાજનું કોરોનાને કારણે જીવનદિપ બુઝાયો છે. શ્રી પરશુરામ યુવા સંસ્થાના કાર્યકરો ઘેરો શોક વ્યકત કરે છે.
ભગવાન પરશુરામની ગુજરાતમાં સૌપ્રથમ શોભાયાત્રાનો પ્રારંભ અભયભાઇ ભારદ્વાજે કરેલ. આજે ગુજરાતના અનેક શહેરોમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળે છે. બ્રાહ્મણો માટે હર હંમેશ અભયભાઇ મદદરૂપ થતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં પરશુરામ જન્મજયંતિ નિમિતેની જાહેર રજાની રજૂઆત અભયભાઇ ભારદ્વાજે કરેલ.
પરશુરામ યુવા સંસ્થાનના સ્થાપક અભયભાઇ ભારદ્વાજ સાથે વર્ષાથી જોડાયેલા નિરંજનભાઇ દવે, સમીરભાઇ ખીરા, પંકજભાઇ દવે, જયેશભાઇ ભટ્ટ, યોગેશભાઇ ભટ્ટ, સંજયભાઇ જોશી, દિપેશભાઇ લહેરૂ, મીલનભાઇ ભટ્ટ, વિજયભાઇ ભટ્ટ, મથુરભાઇ જાની, ચૈતન્યભાઇ ભટ્ટ, પંકજભાઇ ભટ્ટ, હરેશભાઇ જોશી, જયંતભાઇ ઠાકરે અંજલી અર્પી છે.
સમીરભાઇ ખીરાએ પરશુરામ યુવા સંસ્થાન - સ્થાપક અભયભાઇ ભારદ્વાજના નિધનથી ઉંડા દુઃખીની લાગણી વ્યકત કરીને વિદ્વાન-તેજસ્વી પરીશ્રમ અભયભાઇ ભારદ્વાજની સેવાની સૌરભ સદા મહેકતી રહેશે.