રાજકોટ
News of Wednesday, 2nd December 2020

ડેલાવાળા પરિવાર અને સરગમ કલબે એક વડીલ મિત્ર અને શુભચિંતક ગુમાવ્યા

રાજકોટ : પ્રખર ધારાશાસ્ત્રી અને રાજયસભાન સભ્ય અભયભાઈ ભારદ્વાજના નિધનથી રાજકોટના ગુણવંતભાઈ ડેલાવાળા પરિવાર અને સરગમ કલબે એક સાચા શુભચિંતક અને માર્ગદર્શક ગુમાવ્યા છે.

સ્વ.અભયભાઈ સરગમ કલબના સ્થાપનાકાળથી માર્ગદર્શક અને સલાહકાર રહ્યા હતાં. તેમની અને ગુણવંતભાઈ વચ્ચે એક અતૂટ નાતો હતો અને જયારે જયારે મળતા ત્યારે બંને વચ્ચે એક હૂંફ જોવા મળતી હતી.

ગુણવંતભાઈ ડેલાવાળાએ અભયભાઈના નિધન બદલ આઘાતની લાગણી વ્યકત કરી છે અને ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી છે.

(11:28 am IST)