News of Tuesday, 2nd October 2018
પડધરીના હડમતીયામાં વાડીની ઓરડીમાંથી દાહોદના મજુરની ૧.૬૭ લાખની મતા ચોરાઇ
રાજકોટ તા.૨: પડધરીના હડમતીયા પાસે આવેલી વાડીની ઓરડીમાં રહેતા દાહોદના મજુર ના રૂ. ૧.૬૭ લાખના ઘરેણા સહિતની મત્તા તસ્કરો ચોરી જતા ફરિયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ પડધરીના હડમતીયા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની વાડી દાહોદના સુખસર ગામના રતનભાઇ ગેદાલભાઇ ગરાસીયા (ઉ.વ.૪૦) એ વાડી વાવવા માટે રાખી હતી. પરમ દિવસે રતનભાઇ પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે તસ્કરોએ ઓરડીનું તાડુ તોડી અંદર પ્રવેશ કરી પતરાના ડબ્બાનું તાળુ તોડી તેમાંથી રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧.૬૭ લાખની મતા ચોરી ગયા હતા. આ અંગે રતનભાઇ ગરાસીયાએ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.વી. વાઢીયાએ તપાસ હાથ ધરી છે.
(3:28 pm IST)