પડધરીમાં મફતમાં નોનવેજ ન આપતાં નસીમબેન અને પુત્ર નવાઝ પર હુમલો
હરિપરના પાટીયે બનાવઃ સિરાજ, યુસુફ સહિતની ગુંડાગીરી
રાજકોટ તા. ૨: પડધરીના હરિપરના પાટીયે રાત્રે અગિયારેક વાગ્યે નોનવેજની લારી પર બે શખ્સોએ ધમાલ મચાવી મુસ્લિમ માતા-પુત્રને માર માર્યો હતો અને રેંકડીએ તોડફોડ કરી હતી.
પડધરી ગીતાનગરમાં રહેતાં નસીમબેન મજીદભાઇ ગલેરીયા (ઉ.૪૨) અને તેનો પુત્ર નિઝામ (ઉ.૧૮) રાત્રે પોતાની નોનવેજની લારીએ હતાં ત્યારે સિરાજ અને યુસુફે આવી મફતમાં જમવાનું માંગતા ના પાડતાં બંનેએ ખુરશી-ટેબલમાં તોડફોડ કરી નસીમબેન અને તેના પુત્રને માર મારતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. નસીમબેનને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે પડધરી પોલીસને જાણ કરી હતી. નસીમબેનના કહેવા મુજબ અવાર-નવાર આ શખ્સો આ રીતે મફતમાં ખાઇ જાય છે અને દાદાગીરી કરે છે.