રાજકોટ
News of Sunday, 2nd August 2020

રાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા

રાજકોટ: શહેરના દૂધ સાગર રોડ પર લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુશેનભાઈ ચાવડા નામના યુવાનની હત્યા થઈ છે. આરીફને તેના પડોશમાં જ રહેતા વસીમ ઉર્ફ ટકો છાસવાળા તરીકે ઓળખાતા શખ્સે છરીના ઘા ઝીકી હત્યા કરી હોવાનું સામે આવતા થોરાળા પીઆઇ હડિયા, પીએસઆઇ જાદવ અને ડી. સ્ટાફ ટીમે ઘટના સ્થળએ પોહચી તપાસ હાથ ધરી છે.

 હત્યાનો ભોગ બનનાર ચાર ભાઈમાં મોટો હતો . વિસ્તારમાં અગેવાનની છાપ હતી. શહેરના લઘુમતી આગેવાનની ખૂબ નજીક ગણાતો હોવાનું પણ કહેવાય છે

(11:13 pm IST)