News of Saturday, 2nd July 2022
ઈસ્કોન મંદિરની રથયાત્રામાં હરે કૃષ્ણ મહામંત્રના નાદ ગુંજયા
રાજકોટઃ ઈસ્કોન મંદિર રાજકોટ દ્વારા આયોજિત શ્રી જગન્નાથ રથયાત્રાનું પ્રસ્થાન કોટેચા ચોક ખાતેથી કરવામાં આવેલ. રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ અને વલ્લભભાઈ હાજર રહ્યા હતાં. રથયાત્રામાં કીર્તનની શરૂઆત સિંગાપોર ઈસ્કોન મંદિરના પ્રમુખ દેવકીનંદન પ્રભુજી કે જેઓ સિંગાપોરના નામાંકિત વકીલ અને કાયદાકીય નિષ્ણાંત છે તેમણે કરી હતી. તદઉપરાંત રશિયા અને યુક્રેનથી આવેલા ૧૦ વિદેશી ભકતો પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેઓ એ શહેરીજનોને હરે કૃષ્ણ મહામંત્રના તાલ પર ખૂબ ડોલાવ્યા હતા.
રથને ફૂલો અને રોશનીથી તેમજ નિજમંદિરને રોશનીનો શણગાર કરવામાં આવેલ.(
(4:44 pm IST)