News of Saturday, 2nd July 2022
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા પ૧ સભ્યોની એક્ઝિકયુટીવ કમીટી બનાવાશે
આગામી દિવસોમાં સેમીનાર-એવોર્ડ વિતરણ-જોબ ફેરનું આયોજન
રાજકોટ તા. ૨ : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા આગામી દિવસોમાં એક વિશાળ સંમેલન બોલાવી ૫૧ વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓની એક્ઝિકયુટી કમીટી બનાવવા નિર્ણય લેવાયો છે.
જેના માધ્યમથી વેપાર ધંધાના વિકાસ માટેના મુદ્દાઓ પર અભ્યાસ કરી આગામી દિવસોમાં સેમીનાર, એવોર્ડસ વિતરણ, જોબ ફેર સહીતના આયોજનો ઘડી કઢાશે. આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો વ્યાપ વધારવામાં આવશે. તેમ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગ તેજુરાની યાદીમાં જણાવાયુ છે.
(3:40 pm IST)