રાજકોટ
News of Friday, 2nd July 2021

થેલેસેમીયા પરિવાર દ્વારા બડા બજરંગ રકતદાતા ગ્રુપનું સન્માન

 થેલેસેમીયાના બાળકોને લોહી મેળવવા ખુબ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે બડા બજરંગ ગ્રુપના ભાઇ બહેનો દ્વારા કોરોના કાળના સમયે પણ રકતદાન કરી ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલી બોટલો જમા કરાવવામાં આવી હતી. તેમનું આ ઋણ અદા કરવા થેલેસેમીયા  પરિવાર દ્વારા બડા બજરંગ ગ્રુપના મોભી એવા કલ્પેશભાઇ ગમારા, વિજયભાઇ પંજવાણી, અનિલભાઇ ઓળકીયા, વગેરેનું સન્માન કરાયુ હતુ. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:14 pm IST)