રાજકોટ
News of Thursday, 2nd July 2020

રાજકોટમાં વધુ એકને કોરોના ભરખી ગયોઃ લોકોમાં ફફડાટઃ છેલ્લા ૨૪ કલાકમાં ત્રીજું મોત

રાજકોટ : શહેરના રૈયા ટેલીફોન એકસચેન્જ વિસ્તારમાં આવેલ અનામિકા સોસાયટીમાં રહેતા રાજુભાઇ મેપાભાઇ સોલંકી (ઉ.વ.૬૩)નું આજે બપોરે મોત નિપજ્યુ હતુઃ રાજુભાઇને કોરોનાની સારવાર અર્થે કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાઃ  છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ૩ મોત થતા આ સાથે મૃત્યુઆંક ૮ થયોઃ શહેરમાં ગઈકાલે રાત્રે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા વૃદ્ધા અને આજે સવારે રેસકોર્ષ પાર્કના ૬૪વર્ષીય વૃદ્ધનું તથા આજે બપોરના ૩:૩૦ વાગ્યા આસપાસ વધુ એક મૃત્યુ થતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે

(4:40 pm IST)