સ્ટાર હોસ્પીટલમાં વધુ ૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ
ડો.જયેશ ડોબરીયા, ડો.મિલાપ મશરૂ, ડો.જીગર પાડલીયા, ડો.વિરલ મોરી અને ડો. દર્શન જાની ટીમની સફળ સારવાર
રાજકોટ, તા., ૨: કોવીડ-૧૯ની મહામારી સામે દેશ આખો સંઘર્ષ કરી રહયો છે ત્યારે રાજકોટમાં સીવીલ હોસ્પીટલ બાદ કોરોનાના કેસ વધતા સરકારે મવડી ચોકડીએ આવેલ સ્ટાર હોસ્પીટલને કોરોના સારવાર કરવા મંજુરી આપી છે.ગઇકાલે સ્ટાર હોસ્પીટલમાં જામજોધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. આજે વધુ ૪ કોરોના પોઝીટીવ દર્દીઓ મુકત થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. સ્ટાર હોસ્પીટલમાં આજે ૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જેમાં નીલેશભાઇ જીકરીયા, શ્રીલ કાલાવડીયા, ડેનીશભાઇ કાલાવડીયા અને રાધીકાબેન કાલરીયા સ્વસ્થ થતા હોસ્પીટલમાં રજા આપવામાં આવી છે. સ્ટાર હોસ્પીટલમાં સૌરાષ્ટ્રના જાણીતા ડો. જયેશ ડોબરીયા અને ડો. મિલાપ મશરૂના નેતૃત્વમાં ડો.જીગર પાડલીયા, ડો. વિરલ મોરી, ડો. દર્શન જાની અને નર્સીગ ટીમે કરેલી સારવાર કારગત રહી છે.