અષાઢી બીજે ગુરૂવારે સંતશ્રી વેલનાથબાપુ અને માંધાતા રાજાની શોભાયાત્રા નીકળશે
ફિલ્મ કલાકારો વિક્રમ રાઠોડ અને જયેશ ઠાકોરના હસ્તે મોરબી રોડ ઉપરથી પ્રારંભ, ૮૦ ફૂટ રોડ ખાતે સમાપન : ટુ - ફોર વ્હીલરમાં બેટી બચાવો, પર્યાવરણ બચાવોના સંદેશા પ્રસરાવાશે
રાજકોટ, તા. ૨ : અષાઢી બીજના પવિત્ર દિવસે સંત શ્રી વેલનાથબાપુ અને માંધાતા રાજાની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર નીકળશે. મોરબી રોડ ઉપરથી શોભાયાત્રાનો પ્રારંભ થશે અને ૮૦ ફૂટ રોડ ઉપર પૂર્ણ થશે. ટુ - ફોર વ્હીલરમાં બેટી બચાવો, ચક્ષુદાન, પર્યાવરણ બચાવોનો સંદેશ પ્રસરાવાશે.
જય વેલનાથ જય માંધાતા સમિતિ દ્વારા તા.૪ ગુરૂવાર અષાઢી બીજના દિવસે આયોજીત શોભાયાત્રાનું ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર અને જયેશ ઠાકોર આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે તથા બાઈક રેલીમાં જોડાશે.
રાજકોટ શહેરમાં ચુંવાળીયા, તળપદા, ઘેળીયા આ ત્રણેય સમાજ સાથે મળીને રાજકોટમાં સમસ્ત કોળી સમાજની શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યુ હોવાનું યાદીમાં જણાવાયુ છે. જેનો મુખ્ય હેતુ વ્યસન મુકત સંદેશ અને સામાજીક રાજકીય શૈક્ષણિક જાગૃતિ અભિયાન, બેટી બચાવો, પર્યાવરણ બચાવો આ સંદેશ માટે છે.
વાહન નોંધણી માટે મુખ્ય આયોજક દેવાંગ કુકાવા મો.૯૨૨૮૩ ૬૦૮૪૮, હિતેષભાઈ ધોળકીયા - મો.૯૯૨૫૫ ૮૬૧૦૨, કલ્પેશભાઈ બાવરીયા - મો.૭૯૮૪૫ ૯૪૪૨૪, ભાવેશભાઈ વાલાણી - મો.૯૭૩૭૬ ૦૨૩૨૪નો સંપર્ક કરવો.
શોભાયાત્રાનો રૂટ
શોભાયાત્રા સવારે ૧૦ કલાકે વેલનાથપરા ચોકડીથી મોરબી રોડ, જૂના જકાતનાકા, જૂનો મોરબી રોડ, ગીરીરાજ પાર્ટી પ્લોટ, ક્રાંતિ માનવ સેવા રોડ, ૮૦ ફૂટ રોડ, ચામુંડા સોસાયટી, કુવાડવા, રોડ, ડીલકસ ચોક, ભાવનગર રોડ, બેડીપરા, પાંજરાપોળ, રાજમોતી ઓઈલ મીલ, ચુનારાવાડ રોડ, ડાભી હોટલ, રામનાથપરા પોલીસ ચોકી, જીલ્લા ગાર્ડન ચોક, બાપુનગર મેઈન રોડ, ૮૦ ફૂટ રોડ, અમુલ સર્કલ પહેલા મોહનભાઈ સરવૈયા હોલ ખાતે સમાપન થશે તેમ જય વેલનાથ જય માંધાતા સમિતિની યાદીમાં જણાવેલ છે.
તસ્વીરમાં દેવાંગ કુકાવા, કલ્પેશ બાવરીયા, હિતેષ ધોળકીયા, વિજયભાઈ ભાલીયા, અરૂણાબેન મગવાનીયા, મીનાબેન ચૌહાણ અને મનીષાબેન માલકીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)