રાજકોટ
News of Wednesday, 2nd June 2021

ચોટીલાના નવાગામમાં ભેલાણની ના પાડતાં માસીયાઇ ભાઇઓ પર લાકડીથી હુમલો

સંજુ અને મુકેશને સારવાર માટે રાજકોટ ખસેડાયાઃ રામશીએ માર માર્યો

રાજકોટ તા. ૨: ચોટીલાના નવાગામમાં રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં બે માસીયાઇ ભાઇઓ સંજુ વિરજીભાઇ ચોવસીયા (ઉ.વ.૨૯) અને મુકેશ સવજીભાઇ ચોવસીયા (ઉ.વ.૨૭) પર સાંજે બંને પોતાની વાડીએ હતાં ત્યારે રામશી દેવશીભાઇ રબારીએ લાકડીથી હુમલો કરી માથા-શરીરે ઇજાઓ કરતાં ચોટીલા સારવાર લઇ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. મુકેશના કહેવા મુજબ તેના ખેતરમાં હાલ બાજરાનો પાક ઉભો છે. આ ઉભા પાકમાં રામશીએ પોતાના ઢોર આવવા દઇ ભેલાણ કરાવતાં તેને આવું કરવાની ના પાડતાં ગાળો દઇ લાકડીથી હુમલો કર્યો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)