રાજકોટ
News of Tuesday, 2nd June 2020

પૂ.રણછોડદાસજી આશ્રમ દ્વારા લોકડાઉનમાં અન્ન સેવા

પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા હંમેશા વિકટ પરિસ્થિતિમાં લોકોની સેવા શરૂ કરી દેવામાં આવે છે. તે મુજબ લોકડાઉનમાં ભોજન સેવા શરૂ કરતા દરરોજ ૧૦ હજાર લોકોને અન્નદાનથી તૃપ્ત કરવામાં આવેલ. ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુના ૫૦ માં મહાસમાધિ દિવસ નિમિતે શરૂ કરાયેલ આ સેવાયજ્ઞમાં અત્યાર સુધીમાં આશરે ૩ લાખ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યુ છે. આ માટે દરરોજ સંસ્થાની ૬ ગાડીઓ દ્વારા સોશિયલ ડીસ્ટન્સ રાખીને ભોજન પહોંચતુ કરાયુ હતુ. તા. ૩૧ મે ના રોજ લોકડાઉન નિમિતેનો સેવાયજ્ઞ પૂર્ણ જાહેર કરવામાં અવેલ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(2:44 pm IST)