News of Tuesday, 1st December 2020
કર્ફયુની ૧૦મી રાત્રે જાહેરનામા ભંગના ૧૩૪ ગુના દાખલ કરતી પોલીસ
રાજકોટ તા. ૧: કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રાહબરી હેઠળ તમામ પોલીસની ટીમો રાત્રી કર્ફયુનું કડક પાલન કરાવી રહી છે. દસમી રાતે જાહેરનામા ભંગના ૧૩૪ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. લોકોને રાતે નવથી સવારના છ સુધી ઘરમાં જ રહેવા અનુરોધ કરાયો છે.
(2:44 pm IST)