રાજકોટ
News of Friday, 1st December 2017

પગપાળા અજમેર શરીફની યાત્રા

રાજસ્થાનમાં આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ અજમેર શરીફમાં ખ્વાજા સાહેબની દરગાહે હંમેશા શ્રધ્ધાળુઓ હાજર રહે છે અને અનેક હિન્દુ-મુસ્લિમ કયારેક પગપાળા પણ ત્થા ચાલીને પહોંચે છે એ પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ રૈયા રોડ ઉપર ભગવતી હોલવાળી શેરીમાં રહેતા નજમાબેન આહમદભાઇ ફલાણી તા.૧ર-પ-૧૭ના અજમેર શરીફ પગપાળા જનાર છે. તેઓની સાથે અલ્તાફભાઇ એ. કાઝી (આફ.બી.બોડી ફીટર, એસટી, રાજકોટ) ત્થા નફીસાબેન દલ અને ફારૂકભાઇ ફકીર પણ જોડાયા છે. જે કોઇને પગપાળા અજમેર શરીફ દર્શને આવવુ હોય તેઓ ૯૪૦૯૧-૧ર૭૮૬ ઉપર સંપર્ક કરી શકશે.

(4:36 pm IST)