News of Saturday, 1st October 2022
ધરમનગરમાં નવદુર્ગા ગરબી : મુમતાઝબેન દ્વારા સંચાલન
રાજકોટ તા. ૧ : રૈયા વિસ્તારમાં ધરમનગર આવાસ યોજનામાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૩ વર્ષથી ગરબીનું આયોજન થાય છે. લઘુમતી મહિલા મુમતાઝબેન મીહલા તેનું સંચાલન કરી રહ્યા છે. તેમણે સદ્ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પુરૃં પાડયું છે.
ગરબી મંડળના સભ્યોમાં જયરાજસિંહ રાઠોડ, કાનાભાઇ રાઠોડ, જીતુભાઇ ચૌહાણ, ડો. અમીતભાઇ ભટ્ટ, રૃબીના પઠાણ, ડિમ્પલબેન ડાભી, નુરજાબેન બેલીમ, પુનમબેન દુલાણી, દિપકભાઇ ચૌહાણ, મોહીનખાન તાલુકદાર, યોગીરાજ રાઠોડ, ચિરાગભાઇ પીઠડીયા, હિમાંશુભાઇ વ્યાસ વગેરેનો સમાવેશ થાય છે.
(3:57 pm IST)