ગુજરાત ગેસ્ટ હાઉસ મેનેજર્સ એસોસીએશની સાધારણ સભા યોજાઈઃ પ્રમુખ પદે પી.એ. ધોળકીયાઃ ઉપપ્રમુખ તરીકે એચ.જે.જાડેજા તથા જી.કે .ગોહિલ
૧૪ સભ્યોની અન્ય હોદેદારો તરીકે પસંદગી
રાજકોટ,તા.૧: તાજેતરમાં ગુજરાત રાજય ગેસ્ટ હાઉસ મેનેજર એસોસીએશની ૪૪ મી વાર્ષિક સાધારાણ સભા કેવળીયા કોલોની નર્મદા ખાતે યોજાઈ જેમાં એચ.જે.જાડેજા (૯૮૭૯૨ ૨૮૭૧૭) (સીટી ગેસ્ટ હાઉસ, સર્કિટ હાઉસ રાજકોટ)ની ગુજરાત રાજય ગેસ્ટ હાઉસ મેનેજર એસોસીએશનના ઉપપ્રમુખ પદે સર્વાનુમતે વરણી થઈ હતી.
નર્મદા ખાતે યોજાયેલ આ સાધારણ સભાનાં તા૨૨/૮ના રોજ યોજાયેલ જેમાં એસોસીએશનમાં પ્રશ્નો ચર્ચવામાં આવ્યા હતા. સભ્યોનાં પ્રશ્નોની છણાવટ થઈ હતી.આ બેઠકમાં હોદ્દેદારોની સાર્વનુમત્તે વરણી થઈ હતી.
જેમાં પ્રમુખ પદે પી.એ.ધોળકીયા, (મેનેજર એનેકસી વીઆઈપી સર્કિટ હાઉસ, અમદાવાદ) તેમજ ઉપપ્રમુખ પદે જી.કે. ગોહિલ (મેનેજર માજીરાજ ગેસ્ટ હાઉસ, ભાવનગર) તથા એચ.જે.જાડેજા (મેનેજર સીટી ગેસ્ટ હાઉસ/ સર્કિટ હાઉસ, રાજકોટ)ની વરણી થઈ હતી. ઉપરોકત ત્રણેય હોદેદારો સૌરાષ્ટ્રના હોય સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું છે. આ હોદ્દેદારોએ એસોસીએશનનાં સભ્યોના પ્રશ્નો અણઉકેલ હશે તે વહેલી તકે ઉકેલવા પ્રયત્નો કરવામાં આવશે. એમ જણાવ્યું હતું.
આ ઉપરાંત અન્ય હોદ્દેદારોમાં જનરલ સેક્રેટરી તરીકે ગૌરાંગ દવે (મેનેજર સર્કિટ હાઉસ, નળીયાદ), સંજય નિર્વાણ જોઈન્ટ સેક્રેટરી (મેનેજર સર્કિટ હાઉસ, નર્મદાડેમ), ટ્રેઝરર તરીકે મનીશ જોષી (વિશામગૃહ અમદાવાદ), બી.સી.ચોથાણીની ઓડીટર તરીકે (મેનેજર એજન્સી બંગલો માંડવી)ની વરણી થઈ હતી. આ ઉપરાંત કો- ઓર્ડિનેટર તરીકે જે.એમ. પંડ્યા (સર્કિટ હાઉસ, મહેસાણા) કારોબારી સભ્ય તરીકે વી.વી.વરમોરા (સર્કિટ હાઉસ, સુરત), સી.કે.રાજ (સર્કિટ હાઉસ, ગોધરા), સંતોષ ચાંદીવાકર (સર્કિટ હાઉસ, આણંદ), જીગ્નેશ પટેલ (સર્કિટ હાઉસ, પોરબંદર), દીપક ગૌસ્વામી (વિશ્રામ ગૃહ અંબાજી), રમેશભાઈ પટેલ (સર્કિટ હાઉસ, અમદાવાદ), માનદ સલાહકાર તરીકે જે.વી. શાહ (વડોદરા), આર.એલ.માંડવીયા (જુનાગઢ) અને એચ.એન.જાડેજા (વડોદરા)ની વરણી કરવામાં આવી હતી.(૩૦.૩)