રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારીપદે શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીની વરણી
રાજકોટ,તા.૧: શાસ્ત્રી રાધારમણદાસની રાજકોટ સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ)ના મુખ્ય કોઠારી તરીકે (વડતાલ ટેમ્પલ બોર્ડના આદેશ મુજબ) નિયુકિત કરવામાં આવતા સન્માન સમારંભ કોઠારી સ્વામીના પ્રમુખપદે યોજાએલ.
આ પ્રસંગે રાજકોટ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી કોઠારી શ્રી શાસ્ત્રી હરિવલ્લભદાસજી સ્વામી (હરિદ્વારવાળા), દ્વારિકા મંદિરના પૂર્વ કોઠારી શ્રી ગોવિંદપ્રસાદ દાસજી સ્વામી, બાલાજી હનુમાનજી મંદિર રાજકોટના મહંત સ્વામી સદ્દગુરૂ શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ મંદિરના નવ નિયુકત થયેલા કોઠારી શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામીનું શાલ ઓઢાડી મૂર્તિ અર્પણ કરી હાર પહેરાવી સન્માન કર્યું હતું.
શ્રી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી જામજોધપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી છે. તેમજ સત્સંગ વિકાસ પરિષદ જુનાગઢ પ્રદેશના પણ અધ્યક્ષશ્રી છે. તેમના અક્ષર નિવાસી ગુરૂ શાસ્ત્રી ભગવતચરણદાસજી સ્વામી પણ સત્સંગ વિકાસ પરિષદના પ્રમુખ હતાં. તેઓ કવિ તથા લેખક પણ છે.
સત્સંગી સેવક અને મંત્રી મનસુખભાઈ એમ.પરમારે પણ સંતોને શાલ ઓઢાડી, હાર પહેરાવી સન્માન કર્યું હતું. રાજકોટ સત્સંગ સમાજ વતી દેવઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઈ રાધનપુરા, એનાઉન્સર લક્ષ્મણભાઈ આદ્રોજાએ પ્રવચન કરેલ.(૩૦.૫)