News of Friday, 1st July 2022
આઇશ્રી નાગબાઇમાનો પ્રાગટય મહોત્સવઃ ચારણીયા સમાજ દ્વારા શોભાયાત્રા
રાજકોટઃ આઇશ્રી નાગબાઇ માના પ્રાગટય મહોત્સવ નિમિત્તે ચારણીયા સમાજ દ્વારા પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી. ૧૪ ફુટ ઉંચી વિરાટ આઇશ્રી નાગબાઇની પ્રતિમાનું પૂજન પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને મહેશ રાજપુત તેમજ આગેવાનોના હસ્તે પૂજન અર્ચન કરવામાં આવેલ કિશાનપરા ચોકથી પ્રારંભ થયેલ આ શોભાયાત્રા અકિલા સર્કલ, (જિલ્લા પંચાયત ચોક), યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, જયુબેલી ચોક, રેસકોર્ષ ચોકથી કિસાનપરાચોક ખાતે સમાપન થયેલ. ત્યારબાદ સમૂહ પ્રસાદનું આયોજન થયું હતુ. રાજમાર્ગો ઉપર શોભાયાત્રાનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:55 pm IST)