શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા સફાઈ ઝુંબેશ
રાજકોટઃ શહેર ભાજપ ઉપપ્રમુખ અને શહેર અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયાની આગેવાનીમાં અનુ.જાતિ મોરચા દ્વારા કોર્પોેરેશન ખાતે જવાહરલાલ નહેરૂની પ્રતિમા તેમજ રામકૃષ્ણનગર ખાતે નરસિંહ મહેતાની પ્રતિમા અને પારેવડી ચોક ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ખાતે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયેલ. આ તકે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર અને ભાનુબેન બાબરીયા, અનીલ મકવાણા, ઈશ્વરભાઈ જીતીયા, દિનેશભાઈ સોલંકી, રવી ગોહેલ, વિજય પરમાર, ભનુભાઈ ખીમસુરીયા, પ્રવીણ ચાવડા, જયશ્રીબેન ચાવડા, ગીરધરભાઈ રાઠોડ, બચુભાઈ ખીમસુરીયા, સંજય બગડા, દિનેશ બારોટ, ગીરીષ ખીમસુરીયા, અનીલ શ્રીમાળી, જેન્તીભાઈ ધાંધલ, પુષ્કર પરમાર, ગૌતમ ચૌહાણ, ડી.બી. ખીમસુરીયા, ખોડીદાસ રાઠોડ, અજય વાઘેલા, જયેશ ઘાવરી, શોભીત પરમાર, જીજ્ઞેશ રત્નોતર, ભારતીબેન મકવાણા, બકુલ મકવાણા, કાન્તીલાલ બગડા, મહેશ બથવાર, મોન્ટુ વીસરીયા, બીપીન પરમાર, નરેશ ચૌહાણ, રવજીભાઈ ચૌહાણ, અશોક સાગઠીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.