રાજકોટ
News of Thursday, 1st July 2021

મ.ન.પા.ના સરકાર નિયુકત ડે. કમિશ્નર એ.આર. સિંઘ સેવા નિવૃતઃ ચેતન નંદાણીને ચાર્જ સુપ્રત

રાજકોટઃ મ.ન.પા.માં સરકાર દ્વારા નિયુકત ડે. કમિશ્નર એ.આર. સિંઘ ગઈકાલે વયમર્યાદાને કારણે સેવા નિવૃત થયા છે. આજે શ્રી સિંઘે તેઓનો ચાર્જ છોડી દીધો હતો અને હાલ તુરત સેન્ટ્રલ ઝોનના ડે. કમિશ્નર ચેતન નંદાણીને વેસ્ટ ઝોનનો વધારાનો ચાર્જ સુપ્રત કરાયાનું જાણવા મળ્યુ છેઃ નોંધનીય છે કે, સિંઘ નિવૃતિ બાદ વધુ સર્વિસ માટે સરકાર પાસે એકસ્ટેન્શન માંગ્યુ હતુ પરંતુ આ આજ બપોર સુધીમાં સરકાર તરફથી કોઈ હુકમ નથી આવ્યો તેમ જાણવા મળ્યુ છે.

(4:04 pm IST)