રાજકોટ
News of Thursday, 1st July 2021

પડધરીના મોટીચણોલમાં જનાવર કરડતાં પાંચ વર્ષની બાળાનું મોત

રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૧: પડધરીના મોટીચણોલ ગામે રામભાઇ માણંદભાઇ ડાંગરની વાડીએ રહી મજૂરી કરતાં મુળ ગોધરાના આદિવાસી પરિવારની પાંચ વર્ષની બાળાનું જનાવર કરડતાં મોત નિપજ્યુ઼ છે.

ભાવી જીતુભાઇ ગણાવા (ઉ.વ.૫) રાતે વાડીએ સુતી હતી ત્યારે જનાવર કરડી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કાગળો કરી પડધરી પોલીસને જાણ કરી હતી. મૃતક બાળા સાત ભાઇ બહેનમાં વચેટ હતી. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો.

(12:54 pm IST)