સુરેશભાઇ અને જગદીશભાઇએ બેભાન હાલતમાં દમ તોડ્યો
કોઠારીયા સોલવન્ટ અને સ્લમ કવાર્ટરમાં બનાવ
રાજકોટ તા. ૧: કોઠારીયા સોલવન્ટમાં યોગેશ્વર વિદ્યાલયની બાજુમાં સુરેશભાઇ ઉર્ફ યોગેશભાઇ રમેશચંદ્ર મહેતા (ઉ.૫૩) નામના બ્રાહ્મણ પ્રોૈઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. સવજીભાઇ બાલાસરા અને કુલદીપભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં અને લાંબા સમયથી બિમાર હતાં.
બીજા બનાવમાં જામનગર રોડ સ્લમ કવાર્ટર લાખાબાપાની વાડી શેરી નં. ૨માં રહેતાં જગદીશભાઇ મંગાભાઇ નારોલા (વાલ્મિકી) (ઉ.૪૨) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.