રાજકોટ
News of Friday, 1st June 2018

સુન્ની મુસ્લિમ ધર્મગુરૂ રાજકોટમાં

મારહરા શરિફ ખાન કાહે બરકાતીયાહના યુવાન ગાદિપતિ સૈયદ સિબ્તૈન હૈદર મીંયાનું કાલ સુધી રોકાણ સાંજે જલ્સો

રાજકોટ તા.૧: સુન્ની મુસ્મિલ સમાજની સર્વોચ્ય ગાદી મારહરા શરિફ(ઉતરપ્રદેશ) ના વંશજ, હુઝુર સૈયદુલ ઉલેમા (રહે) ના પોૈત્ર અને હુઝુર સૈયદે મિલ્લત (રહે) ના વડા સુપુત્ર અને ખાન કાહે બરકાતીયાહના યુવાન ગાદિપતિ હઝરત મોૈલાના પીર સિબ્તૈન હૈદરમીંયા સાહબ (મુંબઇ) આજે રાજકોટ પધાર્યા છે.

નવયુવાન સુન્ની મુસ્લિમ ધર્મગુરૂ આલેહસુલ સૈયદ સિબ્તૈન હૈદરમીંયા બરકાતી ઘણા લાંબા સમય બાદ રાજકોટ પધારતા સ્થાનિક અનુયાયી વર્ગમા ખુશી વ્યાપી ગઇ છે.

તેઓ આજે સાંજે ગોંડલ હાઇવે રોડ ઉપર કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ બરકાતી નગર ખાતે આવતીકાલ સુધી રોકાણ કરશે. બરકાતી મંઝીલ ખાતે ત્યાં આજે સાંજે ઇફતાર સહિતના કાર્યક્રમો યોજાયા છે. રાત્રે જલ્સા થશે.લાભ લેવા ફખરૂદીનભાઇ યુ.પી. વાળાએ જણાવ્યું છે.

(5:02 pm IST)