રાજકોટ
News of Friday, 1st June 2018

વોર્ડ નં.૧૦માં શાંતિ નિકેતન સોસાયટીમાં પેવર રોડનું ખાતમુહુર્ત

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૧૦ના યુની.રોડ પર આવેલ શાંતિ નિકેતન સોસાયટીમાં પેવર રોડનું ખાતમુહુર્ત પૂર્વ સાંસદ રમાબેન માવાણી તથા રામજીભાઈ માવાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી માધવભાઈ દવે, મહામંત્રી હરેશભાઈ કાનાણી, કાશ્મીરાબેન નથવાણી, વોર્ડના મંત્રી ભાવનાબેન મહેતા તથા સ્થાનીક રહેવાશીઓ ચંદ્રેશભાઈ કક્કડ, રંજનબેન જાની, સંજયભાઈ ભટ્ટ, વંદનાબેન જાની, મહાદેવભાઈ તથા ચેતનભાઈ ખાલપડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:52 pm IST)