News of Saturday, 1st May 2021
શહેરમાં ફરસાણનાં વેપારીઓને ધંધો કરવાની છૂટ આપવા રજૂઆત
જીવન જરૂરી વસ્તુ ગણવા કલેકટરને આવેદન
રાજકોટ તા. ૧ :.. શહેરમાં ફરસાણનાં વેપારીઓને ધંધો કરવાની છૂટ આપવા પ૦ થી વધુ વેપારીઓએ કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું છે કે દરેક કરીયાણા ત્થા દૂધની ડેરીઓમાં ફરસાણ વેચાય છે ત્યારે તેને જીવન જરૂરી વસ્તુ ગણી અને ફરસાણનાં વેપારીઓને પણ કોવિડ ગાઇડ લાઇનનાં ચુસ્ત અમલ સાથે વેપાર - ધંધો કરવાની છૂટ આપવા માંગ છે.
(3:54 pm IST)