News of Saturday, 1st May 2021
ઉદય કાનગડની સંવેદનશીલતા : ૧૦૦૦ ગરીબ દર્દીઓને વિનામૂલ્યે આરટીપીસીઆર ટેસ્ટ માટે ૭ લાખનું દાન
રાજકોટમાં રૂ. ૭૦૦ના ચાર્જથી થતા આરટીપીસીઆર ટેસ્ટ માટે ગરીબોને મુશ્કેલી ન પડે તે માટે પૂર્વ મેયર ઉદય કાનગડે ઉદારતા દાખવી અને અને આજથી શહેરમાં મનપાના સહયોગથી શરૂ થયેલ આરટીપીસીઆર ડ્રાઈવ થ્રુ ટેસ્ટ દરમિયાન કોઈ જરૂરીયાતમંદ દર્દીને જરૂર પડે તો ડોકટરના પ્રિસ્ક્રીપ્શન પર વિનામૂલ્યે ટેસ્ટ લેબોરેટરી કરી આપવામાં આવે જે માટે રૂ.૭ લાખનું દાન આપ્યુ છે. આ માટે ભાજપ કાર્યાલયેથી ટોકનની વ્યવસ્થા કરાઈ છે.
(12:14 pm IST)