News of Saturday, 1st May 2021
ભવાનીનગરમાં યુવાનનો આર્થિક ભીંસને લીધે કંટાળી જઇ ફાંસો ખાઇ આપઘાત
રાજકોટ તા. ૧: રામનાથપરા પાસે ભવાનીનગર-૭માં રહેતાં ઉમેશભાઇ મગનભાઇ સરીયા (ઉ.વ.૪૧) નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
ઉમેશભાઇને બેભાન હાલતમાં રિક્ષા મારફત સિવિલ હોસ્પિટલે ખસેડાયેલ. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં નોંધ ધરાવી હતી. હેડકોન્સ. કે. સી. સોઢાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ઉમેશભાઇ છુટક મજૂરી કરતો હતો. તેની પત્નિ તેને છોડીને ઘણા સમય પહેલા જતી રહી છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યાનું હાલ બહાર આવ્યું છે.
(11:53 am IST)