રાજકોટ
News of Saturday, 1st May 2021

સોમવાર સુધી રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે જન્મ-મરણના પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં નહીં આવે

ટૂંક સમયમાં ઓનલાઈન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા અમલી બનાવવાશે:મ.ન.પા તંત્રની સતાવાર જાહેરાત

રાજકોટ: સંક્રમણ ન ફેલાઈ તે માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતેના સિવિક સેન્ટરમાં ફિઝિકલ પ્રમાણપત્ર આપવાની હાલની પ્રથા કામચલાઉ ધોરણે આગામી તા. ૦૩મે સુધી બંધ રાખવામાં આવશે.

કોરોના મહામારીને ધ્યાને લેતા જન્મ અને મરણના દાખલા માટે સિવિક સેન્ટર ખાતે હવે કોઈ સ્વજને રૂબરૂ આવવાનું રહેશે નહીં, તેમજ લાઈનમાં ઉભા ન રહેવું પડે તે માટે ટૂંક સમયમાં ઓનલાઈન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા અમલી બનાવવામાં આવશે.

(10:24 pm IST)