શુક્રવારે શ્રીવિશ્વકર્મા જયંતિઃ સણોસરા ખાતે શોભાયાત્રા, ધ્વજારોહણ, પૂજન, મહાપ્રસાદ
વિશ્વકર્મા દાદાના નવનિર્મિત મંદિરના પટાંગણમાં આયોજન
રાજકોટ તા.૧: આગામી તા.૩ના શુક્રવારે ભગવાન શ્રીવિશ્વકર્મા જયંતિ હોય વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ-સણોસરા દ્વારા પૂ.વિશ્વકર્મા દાદાના પ્રાગટય દિન નિમિતે વિશ્વકર્મા યાત્રાધામ સણોસરા મુકામે શ્રી વિશ્વકર્મા દાદાના નવનિર્મિત મંદિરના પટાંગણમાં ભવ્ય શોભાયાત્રા, ધ્વજારોહણ, પૂજન, કીર્તન વગેરે કાર્યક્રમો યોજવામાં આવેલ છે.
તા.૩ના શ્રી વિશ્વકર્મા યાત્રાધામ સણોસરા ખાતે સવારે ૧૦ વાગ્યે પૂજન, ધ્વજારોહણ તથા બપોરના ૧૨.૩૦ કલાકથી મહાપ્રસાદ શરૂ થશે. ઉપરોકત આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટના મૌેલેશભાઇ માવજીભાઇ સિદ્ધપુરા, મહેન્દ્રભાઇ જીલ્કા, વિનુભાઇ પીઠવા, સુરેશભાઇ સિદ્ધપુરા, કલ્પેશભાઇ સિદ્ધપુરા, કપિલ સિદ્ધપુરા વગેરેના માર્ગદર્શન હેઠળ સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે. આ પ્રસંગે રાજભા જાડેજા, સુરેશભાઇ અજમેરા, મુંબઇથી વિષ્ણુભાઇ મકવાણા, જયભાઇ પટેલ, જસદણથી દિનેશભાઇ રાઠોડ, ચિત્રકુટ મંદિરના સંતો-મહંતો અતિથિ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. તમામ વિશ્વકર્મા વંશજોને ઉપરોકત પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયુ છે