રાજકોટ
News of Wednesday, 1st February 2023

ઇશ્વર કે ચરણો મેં સ્‍થાન મિલે, યાચના હૈ હમારી, આપકો મોક્ષ મિલે બસ યહી પ્રાર્થના હૈ હમારી

રાજકોટ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસંગીની શ્રીમતિ વીણાબેન (ઉ.૭૦) ગઇકાલે શ્રીજીચરણ પામતા અકિલા પરિવાર, ગણાત્રા પરિવાર અને સગા-સબંધીઓમાં અપાર દુઃખની લાગણી પ્રસરી ગઇ છે. ગઇકાલે બપોરે તેમણે દેહ છોડયા બાદ સાંજે અકિલાથી રામનાથપરા મુકિતધામ સુધી વિશાળ અંતિમયાત્રા નિકળેલ. અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા તેમજ સમગ્ર ગણાત્રા પરિવારજનો, અકિલા પરિવાર ઉપરાંત સગા-સબંધીઓ અને રાજકીય, સામાજિક, ધાર્મિક, વેપાર-ઉદ્યોગ, સરકારી - સહકારી વગેરે ક્ષેત્રના આગેવાનોએ પાર્થિવદેહને પુષ્‍પાંજલી કરી સ્‍વર્ગસ્‍થના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

(11:37 am IST)