રાજકોટ
News of Friday, 1st January 2021

નલ સે જલ યોજના હેઠળ ભૂતિયા નળ જોડાણ રેગ્યુલાઈઝ કરવા માટેની મુદ્દત વધારવા વિચારણા : ગઈકાલે પૂર્ણ થયેલ યોજનાનો ખૂબ જ ઓછા લોકોને લાભ મળતા મુદ્દત વધશે

રાજકોટ : રાજય સરકારે નલ સે જલ યોજના હેઠળ ભૂતિયા નળ જોડાણોનો કાયદેસરતા આપવા માટેની યોજના ૩ મહિનાથી વધુ સમય માટે અમલમાં બનાવી હતી : ગઈકાલે ૩૧ ડિસેમ્બરે તેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે : રાજકોટમાં માત્ર ૯૩૦ આસપાસ લોકોએ જ આ યોજનાનો લાભ લીધો છે : હજુ અનેક ભૂતિયા નળજોડાણ ધારકો બાકી રહી ગયા હોવાનું અનુમાન છે ત્યારે સરકાર આ યોજનાની મુદ્દત વધારવા ગંભીરતાપૂર્વક વિચારી રહ્યાનું જાણવા મળે છે.

(3:45 pm IST)