રાજકોટ
News of Friday, 1st January 2021

'નરેન્દ્ર મોદી વિચાર મંચ' આઇ.ટી. સેલના રાજકોટ કાર્યાલયનો પ્રારંભ

રાજકોટ તા. ૧ : સમગ્ર ભારતમાં કાર્યરત 'નરેન્દ્ર મોદી વિચાર મંચ' ની સ્થાપના ૨૦૦૪ માં કરવામાં આવી હતી. સર્વધર્મ સમાનતાની ભાવનાના વિચારોથી કાર્યરત આ સંસ્થાના રાજકોટ કાર્યાલયનો આજથી પ્રારંભ થયેલ છે. કુવાડવા રોડ, ક્રાંતિ માનવ સેવા માર્ગ, અક્ષર સ્કુલની બાજુમાં 'નરેન્દ્ર મોદી વિચાર મંચ' આઇ.ટી. સેલ કાર્યાલયનું આજે ઉદ્દઘાટન કરવામાં આવેલ. જયાં શહેર જિલ્લા અધ્યક્ષ ગૌતમભાઇ પટેલ તથા સંગઠનમંત્રી અશોકભાઇ જાદવ (કુમકુમ ગ્રુપ) જવાબદારીઓ વહન કરશે. તેમ એક યાદીમાં જણાવાયુ છે.

(2:52 pm IST)