Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

પુરવઠાના ગોડાઉન ઉપરના દરોડામાં નીલ રીપોર્ટ : કલેકટરને જાણ કરતા ડીએસઓ

સ્ટોક ઓકે હોવાનો નિર્દેશ : ર૦૦ ગુણી ઘઉં-ચોખા ગાયબ થયા હતા!!

રાજકોટ, તા. ૧૮ : તાજેતરમાં રાજકોટ પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ર૦૦ ગુણી ઘઉં-ચોખા ગાયબ થઇ ગયાની ફરીયાદો ઉઠી હતી. વિગતો બહાર આવતા કલેકટર ચોંકી ઉઠયા હતા અને તેમણે ડીએસઓને તપાસ કરવાની સૂચના આપતા, ગઇકાલે બપોરે ડીએસઓ યોગેશ જોષી અને તેમની ટીમ રાજકોટ-તરઘડીયા ખાતે પુરવઠા નિગમના ગોડાઉનમાં તપાસ અર્થે દોડી ગયા હતા, બંને સ્થળે મેનેજર પાસે સ્ટોકનું ચેકીંગ માંગી સ્ટોક ગણતા બધુ ઓકે જણાવ્યું  હતું.  અગાઉ ગણવામાં ભૂલ થયાનું બહાર આવ્યું હતું. આથી આ તપાસમાં કશું વાંધાજનક નહિ જણાતા ડીએસઓ દ્વારા નીલ રિપોર્ટ કરી કલેકટરને જાણ કરી દેવાઇ છે.

(4:15 pm IST)