Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ઘરમાંથી નીકળી જા નહીતો હાથ-પગ ભાંગી નાખીશુ કહી... નિર્મળાબેન પરમારને ત્રાસ

આરાધના સોસાયટીમાં બનાવ પતિ હિરેન, સાસુ પ્રભાબેન અને નણંદ પુષ્પા સામે ફરિયાદ

રાજકોટ તા.૧૮: થોરાળામાં આરાધના સોસાયટીમાં રહેતી દલીત પરિણીતાને પતિ,સાસુ અને નણંદ નાનીનાની બાબતે ઝઘડો કરી ઘરમાંથી નીકળી જા નહીતર હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ થોરાળાની આરાધના સોસાયટી શેરી નં.૧૩/૧માં રહેતી નિર્મળાબેન હીરેન પરમાર (ઉ.વ.૨૪)એ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતાના ત્રણ વર્ષ પહેલા હિરેન કેસુભાઇ પરમાર સાથે લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પતિ હિરેન પરમાર, સાસુ પ્રભા કેસુભાઇ પરમાર અને નણંદ પુષ્પા રમેશભાઇ રાઠોડ (રહે. નવા થોરાળા આરાધના સોસાયટી શેરી નં.૧૩/૧ નો ખૂણો) અવારનવાર નાની નાની બાબતે બોલાચાલી કરી હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હતા. અને ગાળો આપી મારમારી 'ઘરમાંથી નીકળી જા નહી તો તારા  હાથ-પગ ભાંગી નાખીશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા પોતે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે કે પરમારે તપાસ હાથ ધરી છે.

(3:48 pm IST)