Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કણકોટના કૃષ્ણનગરની સગીરાને અલ્પેશ માલકીયા ભગાડી ગયો

સગીરાના પિતાની ફરિયાદ પરથી અલ્પેશ માલકીયા સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.૧૮: કણકોટના કૃષ્ણનગરમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી કૃષ્ણનગર ગામમાં રહેતો શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ થઇ છે. મળતી વિગતો મુજબ કૃષ્ણનગર ગામમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગત તા. ૧૪/૭ ના પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ દરમ્યાન કૃષ્ણનગર ગામ પાસે સહજ ફાર્મમાં રહેતો અલ્પેશ બિજલભાઇ માલકીયા સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતા સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્પેશ માલકીયા વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીઆઇ વી.એસ. વણઝારા તથા રાઇટર પદુભાએ તપાસ આદરી છે. (૧.૮)

 

(11:53 am IST)