Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સ્વામિનારાયણ ગુરૂકુલમાં ચોપડાપૂજન- દીપમાલા- આરતી

રાજકોટઃ દિવાળીના પવિત્ર દિને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન, ઢેબર રોડ ખાતે પૂ.દેવકૃષ્ણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં ૭૦૦થી વધુ વેપારી ભકતોએ ચોપડા પૂજનનો લાભ લીધો હતો. પહેલા વેપારીઓ દિવાળીથી દિવાળી સુધી વર્ષ ગણતા અને બેસતા વર્ષથી નવા ચોપડામાં ખાતા પાડી ખતવણી કરતા અને નામું લખતાં. હવે એપ્રિલથી માર્ચ સુધીનું નાણાકીય વર્ષ ગણાતું હોવાથી શ્રધ્ધાવાન વેપારીઓ અત્યારે જ ચોપડાનું- લેપટોપનું પૂજન કરી માર્ચના અંત સુધી પૂજન કરેલા ચોપડા રાખી મુકે છે અને એપ્રિલથી ઉપયોગમાં લેતા હોય છે. પ્રાર્થના મંદિરમાં શ્રી ઘનશ્યામ મહાપ્રભુ અને હરિકૃષ્ણ મહારાજની સમક્ષ પાંચ હજારથી વધુ દિવડાઓ પ્રગટાવી સુંદર દિપમાલા ગોઠવવામાં આવેલ. પ.પૂ.સદ્દગુરૂ દેવકૃષ્ણદાસજી સ્વામીએ મહાનિરાજન આરતી ઉતારી હતી.

(3:48 pm IST)