Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અગ્નિસ્નાન કરનાર ઘોઘાવદરના સુરેશભાઇએ બેસતા વર્ષે દમ તોડ્યો

રાજકોટ તા. ૩૧: ઘોઘાવદર રહેતાં સુરેશભાઇ કાળાભાઇ સોલંકી (ઉ.૪૬) નામના દલિત આધેડે તા. ૧૬/૧૦ના રોજ અગ્નિસ્નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ બેસતા વર્ષની સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર સુરેશભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. પીવાની ટેવને કારણે આ પગલુ ભરી લીધાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.

(3:45 pm IST)