Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ભગવતીપરાના સફાઇ કામદાર મહિલા શાંતાબેન સોલંકીનું મોત

બેભાન હાલતમાં લક્ષ્મીનગરના રંજનબા વાળાએ પણ દમ તોડ્યો

રાજકોટ તા. ૩૧: ભગવતીપરા સુખસાગર સોસાયટી-૩માં રહેતાં અને મ્યુ. કોર્પોરેશન વોર્ડ નં. ૨-એમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં શાંતાબેન સોમાભાઇ સોલંકી (ઉ.૫૦) રાત્રે સાડા અગિયારેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રો છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેમના પતિ પણ નિવૃત સફાઇ કામદાર છે.

બીજા બનાવમાં લક્ષ્મીનગર-૫/૭ના ખુણે રહેતાં રંજનબા સુરેન્દ્રસિંહ વાળા (ઉ.૪૫) બિમારી સબબ રાત્રે દોઢેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી છે. પતિ રિક્ષાચાલક છે. બનાવથી સ્વજનો શોકમાં ડુબી ગયા હતાં. માલવીયાનગરના હેડકોન્સ. વિજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:02 pm IST)