Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

૪ર નાયબ કલેકટરોની બદલીઃ પ્રજ્ઞેશ જાની બારડોલીમાં: રાજકોટમાં જેગોડાની નિમણૂક

વઢવાણમાં વી.પી. પટણી, ધ્રોલમાં એચ. પી. જોષી, પોરબંદરમાં ચૌહાણની નિમણૂક

રાજકોટ તા. ૩૧ :.. રાજય સરકારે ડે. કલેકટર કક્ષાના ૪ર અધિકારીઓની બદલી કરી છે. ગઇ મોડી રાત્રે મહેસુલ વિભાગના નાયબ સચિવ શ્રી દિલીપ ઠાકરની સહીથી હુકમ કરવામાં આવ્યા છે.

ભાવનગરના એમ. પી. પટેલને પાટણ ચૂંટણી શાખામાં, મેટ્રો લીંક  પ્રોજેકટના વી. પી. પટણીને વઢવાણ પ્રાંત અધિકારી, ત્યાંના એન. એ. રાજપૂતને નવસારી પ્રાંત અધિકારી, રાજકોટ સીટી-ર ના પ્રજ્ઞેશ જાનીને બારડોલી (સુરત) પ્રાંત અધિકારી, તેમની જગ્યાએ સિધ્ધપુર પાટણના પ્રાંત અધિકારી જે. કે. જેગોડાને જુનાગઢ મધ્યાહન ભોજનના એચ. પી. જોષીને ધ્રોલ પ્રાંત અધિકારી, તેમજ ચોટીલાના પ્રાંત અધિકારી ડી. ડી. ડી. ઓ. પોરબંદર તરીકે મૂકવામાં આવ્યા છે. ગીર સોમનાથ મધ્યાહન ભોજનના બી. એન. ખેર, ડી. ડી. ડી. ઓ. બોટાદ તરીકે નિયુકત થયા છે. (પ-૧પ)

(11:41 am IST)